SURATSURAT CITY / TALUKO

ગ્રાન્ટેડ શાળાઓની પડતર માગોને લઈ આઠમા તબક્કાના કાર્યક્રમમાં થાળી વગાડી વિરોધ કરાયો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પડતર માંગણીઓને લઈ રાજ્યભરમાં આઠમા તબક્કાનો કાર્યક્રમ સરકાર સામે યોજવામાં આવ્યો હતો. પડતર માંગણીઓના વિરોધમાં સુરત ખાતે ગ્રાન્ટેડ શાળાના આચાર્યો અને શિક્ષકો સહિત સ્ટાફ દ્વારા થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.એટલું જ નહીં પરંતુ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ગુરુવાર સુધીમાં જો સરકાર માંગણી નહિ સ્વીકારે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત રાજ્ય શેક્ષણિક સંકલન સમિતિના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.20મી જીલાઇથી સમગ્ર રાજ્યમાં વિવિધ તબક્કા પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જ્યાં આજ રોજ આઠમા તબક્કાના કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.જે અન્વયે સુરત ખાતે પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો,આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા થાળી વગાડી સરકાર સુધી અવાજ પોહચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરતના ઘોડ દોડ રોડ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ શાળા ખાતે દેખાવ અને વિરોધ નોંધાવી સુરત જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જ્યાં ગુરુવારે સુધીમાં જો માંગણી નહિ સ્વીકારવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ અંગે સુરતની ગ્રાન્ટેજ શાળાના આચાર્ય કિશોર જાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની નારાજગી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો, પટાવાળા, મદદનીશ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી નથી. ઉપરાંત ઉદ્યોગ શિક્ષક અને ગ્રંથપાલની પણ ભરતી કરવામાં આવી નથી. જ્યારે ચિત્રકામ સંગીત અને વ્યાયામ વિષયના શિક્ષકોની પણ ભરતી કરાઈ નથી.

નવી શિક્ષણનીતિને પ્રાધાન્ય આપવા માટે પણ શિક્ષકોની તાતી જરૂરિયાત છે.જે માટે ગુજરાત રાજ્ય શેક્ષણિક સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે આ કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે. રાજ્યના બાળકો માટે ના હિતની લડાઈ આ ચાલી રહી છે. ગ્રાન્ટેજ શાળામાં જ્યારે આચાર્યની ભરતી થાય છે ત્યારે તેને વર્ષોથી ઇજાફો મળતો આવ્યો છે.જે ઇજાફો પણ આચાર્યને મળવા પાત્ર છે. ગ્રાન્ટેડ શાળાના આચાર્યને સુપર ક્લાસ થ્રી નો દરજ્જો આપવામાં આવે છે.

સરકારી શાળાના આચાર્યને સુપર ક્લાસ ટુ નો દરજ્જો આપી ભેદભાવ કરવામાં આવે છે. જે ભેદભાવ દૂર કરવામાં આવે તેવી માંગ છે. ગુજરાતભરમાં શિક્ષણ ક્ષેત્રે ગ્રાન્ટેડ શાળાઓનો સૌથી મહત્વનું યોગદાન રહ્યું છે. જેથી ગ્રાન્ટેજ શાળાના આચાર્યને ક્લાસ ટુ નો દરજ્જો આપવો જોઈએ તેવી સ્પષ્ટ માંગ આચાર્યોની છે.શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પાંચ વર્ગના લોકોનો કોઈક ને કોઈક પ્રશ્નો રહ્યો છે અને આ પ્રશ્નનો ત્વરિતપણે નિકાલ લાવવો જોઈએ તેવી સ્પષ્ટ માંગણી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!