GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામે મજૂરો ભાજીયા વચ્ચે પૈસાની ઉઘરાણી મામલે ઝગડા માં મહિલાનું મોત બે ઈસમો સામે હત્યા ની નોંધાઈ ફરીયાદ

વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામે મજૂરો ભાજીયા વચ્ચે પૈસાની ઉઘરાણી મામલે ઝગડા માં મહિલાનું મોત બે ઈસમો સામે હત્યા ની નોંધાઈ ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામે ખેતરમાં બોરના કુવા ઉપર રહીને મજૂરી કરતા મજૂરો અને ભાગીયા વચ્ચે પૈસા ની ઉઘરાણીને મામલે ઝગડામાં મજુર મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 મારફત રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મોત નિપજ્યું હતુ પોલીસે બે ઈસમો ની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હસ્નાપુર ગામે ભરતભાઈ બેહચરભાઈના બોર ના કુવા ઉપર રહેતા 14 જેટલા મજૂરો ઘઉં વાઢી ને મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે ગત રાત્રીએ ખેત મજુર રહે મૂળ મારગળા લીમઘાટી ફળિયું તા ફતેહપુર જી દાહોદ હાલ રહે હસ્નાપુર સુભાષભાઈ રાકેશભાઈ ભાભોર તેમની સાથે બોરના કુવા ઉપર રહેતા તેમના જ વતનના રાજુભાઇ બાબુભાઈ બારૈયા ને મજૂરીના પૈસા લેવાના હોવાથી માંગણી કરતા તેઓનું ઉપરાણું લઈને આવેલ ભાગીયા કમલેશભાઈ કાંતિભાઈ ગરાસીયા ઉશ્કેરાઈ ઝગડો કરી મારા મીત્ર રાજુભાઇના પૈસા આપી દે તેમ કહી જાન થી મારી નાખવાની ધમકી આપી ઝગડો કર્યો હતો તે સમયે લલી બેન ભાભોર એ ગાળો નહીં બોલવા નું કહેતા લલીબેન ને માથાના ભાગે લાકડાના ફાચર જેવા સાધન થી ગંભીર ઇજાઓ પોહચાડી હતી પરિવાર ના મુકેશભાઈ ને બરડા માં માર મારી ઇજાઓ કરી હતી.જ્યાં લલી બેન ને 108 મારફત સરકારી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મરણ જાહેર થતા મૃતક મહિલાનું પીએમ કરવામાં આવ્યું હતુ પીએસઆઇ જી.એ.સોલંકી એ કમલેશ ગરાસીયા તેમજ રાજુ બારીયાની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!