જુનાગઢ જીલ્લા માં વધુ એક પ્રસૂતાનું ડીલીવરી દરમીયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે..જુનાગઢ જીલ્લા નાં કેશોદ તાલુકા ના રાણીગપરા ગામ માં રહેતી શારદાબેન લખમણભાઈ સોલકી ની ૨૫ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા નું ડીલીવરી દરમ્યાન મૃત્યુ થયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન માં નોધાઇ છે.સવિતાબેન ના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા જેઓ ડીલીવરી માટે કેશોદમાં આવેલ અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમને પુત્રીનો જન્મ થયો હતો.અને પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોય જે બાબત ને લઈને પરિવારજનો દ્વાર ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતા ડોકટરે તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલ સારવારમાં લઇ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને તેમની માતા એ કેશોદ પોલીસ સ્ટેશન માં જાણ કરી હતી કેશોદ પોલીસ દ્વારા ફરિયાદ ના આધારે તપાસ હાથ ધરી છે. આમ જુનાગઢ જીલ્લા માં પ્રસુતા ના મોત નો વધુ એક બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અને પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે.