
🙏 **હરિદ્વાર ની યાત્રા જનારા ને ખાસ વિનંતિ જામનગરી ખાસ વાચજો**🙏👇🙏
આ વ્યથા સ્ટોરી સર્વે બ્રાહ્મણો તથા બ્રાહ્મણ પ્રેમીઓ એ અવશ્ય પૂરી વાંચવી.
મહાદેવ હર… સર્વે દયાવાન લોકોને જણાવવાનું કે… જામનગર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ શુક્લ ની દીકરી જેમને એક ૧૧ વર્ષની દીકરી એક ૦૮ વર્ષની દીકરી એક ૫” વર્ષ નો દીકરો છે અને તે છેલ્લા ૦૪” વર્ષ થી વિધવા જીવન વ્યતીત કરી રહ્યા છે, ૨૦૧૫ માં હરિદ્વાર રોજીરોટી ના આશ્રય થી ભાડાની દુકાન અને મકાન રાખી ધંધો શરૂ કરેલ પોતાના પરિવારની જીવન-નિર્વાહ ચાલે તેટલો ધંધો હતો પરંતુ, પંડ્યાજી ને (એમના પતિ ને) એટેક આવતા અવસાન થતા ત્રણ બાળકો ની જવાબદારી નીચે ધરતી ઉપર આકાશ જેવી સ્થિતિમાં મુકાતા જામનગર માં બેકારી થી કંટાળી જીવન નિભાવ કરવા હરિદ્વાર આવતા હરિ ના શરણમાં પણ આ સ્થિતિમાં જીવવાનું મન મક્કમ બનાવી પંડ્યાજી એ હરિદ્વાર માં ભારત માતા મંદિર પાસે વિશ્વા ભોજનાલય જામનગર વાળા ના નામ થી ધંધો શરૂ કરેલ, તે ધંધાને બ્રાહ્મણ દીકરીએ પોતાનું જીવન કર્મ સમજી બાળકો ની જવાબદારી સાથે ભોજનાલય નું ભાડું, રહેણાંક નું ભાડું અને ત્રણ બાળકો ને ભણાવવાની જવાબદારી પણ તેમને સ્વીકારી સવાર ના ૦૫ વાગ્યા થી રાત્રે ૧૧ વાગ્યા સુધી સતત પુરૂષાર્થ કરવાનું શરૂ કર્યું તો ધંધા માંથી માંડ માંડ બે ટાઈમ નું ભોજન મળતું. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિમાં ઈશ્વર ભરોસે જીવન જીવી રહ્યા છે. આ સમય દરમિયાન કોરોના આવતા હાલ અતિ દયનિય સ્થિતિ માં આ પરિવાર જીવન જીવી રહ્યા છે સ્વાભિમાની બ્રાહ્મણ હોવાથી ભીખ માંગી નથી શકતા અને ધંધો ચાલતો નથી. ક્યાં જાવું? ક્યાં રહેવું? તેવી અસમંજસ પરિસ્થિતિમાં નાના ત્રણ બાળકો સાથે બેન જીવી રહ્યા છે.
તો સર્વે હિન્દુ પરિવાર ને તથા બ્રાહ્મણો ને અપીલ કરવામાં આવે છે કે હરિદ્વાર જતા આપના સગા-સબંધી ખાસ અપીલ કરવા વિનંતી છે કે હરિદ્વાર જાવ તો ભારત માતા મંદિર પાસે વિશ્વા ભોજનાલય માં અવશ્ય જમે અથવા ચા નાસ્તો કરે કે જેમાંથી આ બ્રાહ્મણ દીકરીને જીવવા નો ટેકો મળી રહે અને એમને ત્યાં એક સમય ભોજન કરવાથી ચાર જીવો નો સહાય કરવાનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત કરો અને એમની રસોઈ અમે પણ જમી છે આખા હરિદ્વારમાં એમના જેવી સ્વાદિષ્ટ રસોઈ બીજે છે નહીં. પરંતુ, બેન ના ભાગ્ય નો ભોગ હોઈ અને અતિ પવિત્ર જીવન જીવતા હોઈ તેમની હિંમત અને સંઘર્ષમય જીવન ખરેખર બ્રહ્મ સમાજ માટે વંદનીય છે. અને સક્ષમ બ્રાહ્મણો હરિદ્વાર જતા હોય તો આ બાળકોને શિક્ષણિક ખર્ચ ઉઠાવવા અપીલ કરવામાં આવે છે અને હરિદ્વાર જે કોઈ પણ લોકો જાય તે અવશ્ય આ બેન ના ભોજનાલય ની મુલાકાત લ્યે.
કાંકરે કાંકરે પાળ બંધાય,
ટીપે ટીપે સરોવર ભરાય, અને લોક સહયોગ થી અને બ્રહ્મ સમાજ ના આશીર્વાદ થી ભાગ્ય પણ બદલાય. તો આ અપીલ ને કોઈ ના કલ્યાણ યજ્ઞ ની આહુતિ સમજી જે રીતે મદદ થઈ શકે તે રીતે મદદ કરવા વિનંતી, આ બેન નું નામ અને નંબર નીચે મુજબ છે.
સ્થળ: ભારત માતા મંદિર ની બાજુમાં, વિશ્વા ભોજનાલય (જામનગર વાળા)
હરિદ્વાર
રશ્મિબેન શુકલ
મો.9634957741
આ વોટ્સએપ મેસેજ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવો અને હરિદ્વાર જતા લોકો ને આ વાત થી અવશ્ય વાકેફ કરવા વિનંતી.
મહાદેવ હર…
લી.
હર્ષદભાઈ જી. વ્યાસ
બ્રહ્મ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ – જામનગર
પ્રમુખશ્રી
તથા સમસ્ત બ્રાહ્મણ સમાજ સંગઠન – ઇન્ડિયા
મો. 7016442537 / 9426243654
ની આ અપીલ જામનગરના જાણીતા એડવોકેટ શ્રી અશોક હરિશંકર જોષીએ
આ સંવેદનાસભર મેસેજ ગૃપમાં બધા સુધી પહોંચાડ્યો છે
________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
પત્રકાર
બી.એસ.સી.,એલએલ.બી.,ડીપ્લોમા યોગ-નેચરોપથી(ગુજ.આયુ.યુની.),જર્નાલીઝમ
8758659878
bhogayatabharat@gmail.com







