GUJARATHIMATNAGARIDAR

સાબરકાંઠા માં અંબુજા પ્રાઇવેટ લિમિટેડ વિરોધ માં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પોતાની પીડા જણાવી

એક તરફ વિકસિત ભારત માટે ખાનગી કંપનીઓ ને તંત્ર દ્વારા આવકારાઈ રહી છે તો બીજી તરફ હવે કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી સહિત ઝેરી ગેસ હવામાં છોડાતા સ્થાનિકો ના આરોગ્ય સાથે ગંભીર છેડછાડ થયા હોવાનું ખુલવા પામ્યું છે વાત છે સાબરકાંઠાના પ્રાંતિજના નાનાપુર ગામની કે જ્યાં છેલ્લા 25 વર્ષથી અંબુજા કોટન એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની સ્થાપના બાદ હાલમાં મોટાભાગના ગ્રામ્યનો વિવિધ શારીરિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે…

અઢી દાયકા પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નાનાનપુર ગામે અંબુજા કોટન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સ્થાપના થકી સ્થાનીય લોકોએ વિરોધ નોંધાયો હતો જો કે જે તે સમયે આવકના સ્ત્રોત તેમજ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાના આશયથી સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો જો કે હવે સ્થિતિ બદલાય છે છેલ્લા ૨૫ વર્ષમાં કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતારવા સહિત ઝેરી ગેસ હવામાં છોડાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં કંપની દ્વારા વારંવાર થઈ રહેલી જળ જમીન અને હવાના પ્રદૂષણથી અઢી હજારથી વધારે ની વસ્તી ધરાવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે સાથોસાથ આ મામલે સ્થાનિક કંપનીને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા આખરે આજે ગ્રામજનો એ મોટી સંખ્યામાં એકઠા થઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પોતાની પીડા જણાવી છે તેમજ અઢી દાયકાથી સ્થાનિક ગ્રામજનોમાં વિવિધ રોગોના વધેલા પ્રમાણથી પીડાઈ રહેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી નક્કર પગલા ભરવાની માંગ કરી છે…
સામાન્ય રીતે વિકસિત ભારત બનાવવા માટે ઔદ્યોગિક એકમોને પ્રાધાન્યતા આપવી જરૂરી છે જોકે ખેતીપ્રધાન દેશમાં ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાના પગલે તેના વળવા પરિણામો પણ હવે ઉજાગર થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુર ગામે ગુજરાત અંબુજા કોટન પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપની દ્વારા જમીનમાં કેમિકલ યુક્ત પાણી ઉતારવા સહિત હવામાં ઝેરી ગેસ છોડાતા હવે સ્થાનિકોને ફેફસા હાડકા તેમજ ચામડીના રોગોથી ભારે પરેશાની થઈ રહી છે જેના પગલે આજે તેમને જિલ્લા કલેકટર કચેરી આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કંપની સામે પગલાં ભરવાની માંગ કરી છે તેમજ આગામી સમયમાં આ મામલે કોઈ પગલા ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે…
જોકે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે મહત્વનું બની રહેશે તે નક્કી છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!