DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું

તા. ૨૯. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું

દાહોદ:- જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો છે. રસ્તાઓ ઉપર પાણી ઓસરવા લાગ્યા છે, બંધ કરવામાં આવેલા અનેક માર્ગો ફરી પૂર્વવત થઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે માર્ગો પર નુકસાન થયું છે વરસાદના પગલે માર્ગો ધોવાયા છે તે માર્ગો નું સમારકામ કરવાની કામગીરી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ધોવાયેલા રસ્તાઓ તથા રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ વગેરેનું સમારકામ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા રોડ પર માર્ગ ફરી યથાવત શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!