ANANDGUJARATUMRETH

ઉમરેઠ નગરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતા તંત્ર આવ્યું હરકતમાં.

પ્રતિનિધિ : ઉમરેઠ

તસ્વીર : કુંજન પાટણવાડીયા

 

આજરોજ ઉમરેઠ નગરપાલિકા ખાતે ઉમરેઠ મામલતદાર તથા ઉમરેઠ ચીફ ઓફિસર, કર્મચારીઓ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠના ઓફિસરો તથા સ્ટાફ સાથે મળી ઉમરેઠ નગરમાં ઝાડા ઉલ્ટીના કેસોને લઈને ચર્ચા કરવામાં આવી હતી તથા તે કેસોની સંખ્યાનો વધારો ન થાય તેના માટે ઉમરેઠ શહેરમાં સાફ-સફાઈ કરાવી દવાનો છંટકાવ કરાવેલ તથા ફોગિંગ મશીનથી પણ દવાનો છંટકાવ કરવામા આવ્યો. વધુમાં નગરપાલિકાના સ્ટાફે ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો ન થાય તેથી ઉમરેઠ નગરમાં આવેલ તમામ ખાણીપીણીની લારીને રૂબરૂ જઈ તપાસ કરીને વેચાણ બંધ કરવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!