
તા.૧૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેબારીઆ ખાતે સ્પર્શ જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત અને એચ.આઇ.વી એઇડ્સ અંગેની જાણકારી આપી
આજરોજ તા.૧૩.૦૨.૨૦૨૫ ના રોજ જિલ્લા રક્તપિત.ટી.બી /એચ.આઇ.વી અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને પ્રા.આ. કેન્દ્ર કૂવાબૈણા ના એમ ઓ સાહેબના અધ્યક્ષ સ્થાને આશ્રમ શાળા મેન્દ્રાં તાલુકો દેવ. બારીઆ ખાતે સ્પર્શ જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત અને એચ.આઇ.વી એઇડ્સ અંગેની જાણકારી વિગતવાર પત્રિકા વિતરણ સાથે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં આશ્રમ ના આચાર્ય,મેંદ્રા ના એમ.પી.એચ. ડબલ્યુ,શિક્ષકગણો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા





