GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં ગંગાજીમાં અસ્થિ વિસર્જન પહેલાં પૂજન કરી અંતિમ વિદાય આપવામાં આવશે…

કેશોદમાં ગંગાજીમાં અસ્થિ વિસર્જન પહેલાં પૂજન કરી અંતિમ વિદાય આપવામાં આવશે...

કેશોદ શહેર તાલુકામાં મૃતાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય તે હેતુથી છેલ્લાં ૨૭ વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હરીદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પીડદાન કરી અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. કેશોદના હિન્દુ સ્મશાન ખાતે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મૃતાત્માઓની અંતિમવિધિ બાદ અસ્થિ કવરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છ માસમાં એકઠાં થયેલાં અસ્થિઓ નું અંતિમ દર્શન અંતિમ પુજન કરવા માટે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વ્રારા હિન્દુ સ્મશાન ખાતે હોલમાં સાંજના ૪-૦૦ કલાકે થી ૬-૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં છ મહિનામાં અવસાન પામેલાં દરેક મૃતાત્માઓ ના સ્વજનોએ નગર શ્રેષ્ઠીઓ એ પૂજન તથા અંતિમ દર્શન માં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. સનાતન ધર્મ માં ગંગાજી ખાતે મૃતાત્માઓના અસ્થિ વિસર્જન કરવાનું ખુબજ ગૂઢ સત્ય દર્શાવવામાં આવ્યું છે ત્યારે કેશોદ પંથકના મૃતાત્માઓને મોક્ષગતિ મળે એવાં સરાહનીય હેતુથી સ્વખર્ચે હરિદ્વાર જવાનું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પીડદાન કરી વિસર્જન કરવાની કામગીરી છેલ્લાં ૨૭ વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ શશીભાઈ જેસુર, વિપુલભાઈ ઠુબર અને રાજુભાઇ બોદર, કાન્તિભાઈ ડાભી સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અવિરતપણે કામગીરી કરવામાં આવી રહી છે. માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રેરણા મેળવી પોતાના વિસ્તારમાં પણ અસ્થિ વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!