BANASKANTHAGUJARATPALANPUR
મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર NSS વિભાગ દ્વારા એન.એસ.એસ. અભીમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

7 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર NSS વિભાગ દ્વારા એન.એસ.એસ. અભીમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રસ્તુત કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રાધાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રસ્તુત કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ. પરમાર અને ડૉ. જાનકીબેન પટેલ એન.એસ.એસ. સ્વયંસેવકોને વષૅ દરમિયાન કરવામાં આવતી નિયમિત પ્રવુત્તિઓ અને ખાસ શિબિરની માહિતી આપી હતી. ઉપરાંત એન.એસ.એસ. થકી જીવન વિકાસની તકો અને વિવિધ શિબિરો વિશેની પણ માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરમારે કર્યું હતું.






