GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ રીસર્ફેસિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તાની તપાસ માટે નિરીક્ષણ કર્યો…

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરી એ શહેરના રીસર્ફેસિંગ કરાયેલા માર્ગોની ગુણવત્તાની તપાસ માટે સ્થળ પર નિરીક્ષણ હાથ ધર્યું હતું. મહાનગરપાલિકા વિસ્તારના બે અલગ-અલગ માર્ગો પર ખાનગી એજન્સીઓ દ્વારા રીસર્ફેસિંગનું કાર્ય કરવામાં આવ્યું હતું.

કમિશનરે સ્થળ પર જ રોડ ડેન્સિટી નિરીક્ષણ મશીનની મદદથી માર્ગનું કટીંગ કરાવ્યું અને રસ્તાની વિવિધ પરતો (લેયર્સ)ની ઘનતા તથા જાડાઈની સઘન તપાસ કરી. તકનીકી વિશ્લેષણના ભાગરૂપે, રસ્તાની ગુણવત્તા મૂલ્યાંકન કરવા માટે કોર ટેસ્ટ અને માર્શલ ટેસ્ટ જેવી માન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો.

તદુપરાંત, રસ્તાના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે માર્ગના નમૂનાઓ લેવાયા હતા. બાંધકામમાં વપરાયેલ ડામર (બિટ્યુમેન)ની ગુણવત્તા તથા નક્કી કરાયેલ ધોરણોનું પાલન થયું છે કે કેમ તેની પણ સમીક્ષા કરવામાં આવી.

આ નમૂનાઓને વધુ વિગતવાર તપાસ માટે પ્રમાણિત લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જ્યાં રસ્તાની તમામ લેયર્સનું સુનિશ્ચિત પરીક્ષણ કરવામાં આવશે. જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ખામી અથવા ગુણવત્તા અંગે ઉલ્લંઘન જણાશે, તો સંબંધિત એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર નિરીક્ષણનો મુખ્ય હેતુ શહેરમાં થઈ રહેલા માર્ગ નિર્માણ કાર્યોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે, જેથી નાગરિકોને ટકાઉ તથા ઉચ્ચ ગુણવત્તાની મૂળભૂત સુવિધાઓ મળી રહે. મહાનગરપાલિકા દ્વારા આવાં નિરીક્ષણો આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે

Back to top button
error: Content is protected !!