ઝિમ્બાબ્વેમાં એરોપ્લેન ક્રેશ થતા ભારતીય અબજોપતિ બિઝનેસમેન અને તેમના દિકરા સહિત 6 લોકોના મોત નિપજવાની ઘટના સામે આવી છે. દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં એક પ્રાઈવેટ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે હીરાની ખાણની પાસે ક્રેશ થયું છે. આ ઘટનામાં ભારતીય અબજોપતિ બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના પુત્ર આમેર કબીર સિંહ રંધાવા નું દુઃખદ મોત નિપજ્યું છે. આ પ્લેનમાં ખાણ બિઝનેસ અને તેમના પુત્ર સહિત 6 લોકો સવાર હતા, આ તમામનો મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ 29 સપ્ટેમ્બર-2023, શુક્રવારના રોજ ‘રિયોજિમ’ની માલિકીની સેસના 206 વિમાન હરારેથી મુરોવા આવેલી હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુઃખદ ઘટના બની. સિંગલ એન્જિનવાળું એરોપ્લેન મુરોવા ડાયમંડ માઈન પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું. અહેવાલો મુજબ એરોપ્લેન જવામહાંડેમાં પીટર ફાર્મમાં ક્રેશ થતા પહેલા તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે એરોપ્લેનમાં હવામાં જ વિસ્ફોટ થઈ ગયો. ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને પાયલોટનું મોત થયું છે.
ઘટનામાં મૃત્યુ પામેલા 4 લોકો વિદેશી અને 2 લોકો ઝિમ્બાબ્વેના નાગરિક હતા. પોલીસે હાલ મૃતકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રંધાવાના મિત્ર જર્નાલિસ્ટ અને ફિલ્મમેકર હોપવેલ ચિનોનો નું મૃત્યુ નિપજ્યું હોવાની પુષ્ટી થઈ છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.