Jetpur: ૭૪ – જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ

તા.૧૯/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જેતપુરના સરદાર ચોકથી બોરિયા સમઢીયાળા સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને નગરવાસીઓએ ઉમંગેર આવકારી
યાત્રાનુ અભિવાદન કરવા જેતપુરવાસીઓ ઉમટ્યા ઠેર ઠેર પુષ્પ વર્ષા સાથે વિવિધ સમાજોએ હરખે વધાવી
Rajkot, Jetpur: લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રા (યુનિટી માર્ચ) નું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ૭૪ જેતપુર વિધાનસભા વિસ્તારમાં સરદાર ચોક થી બોરડી સમઢીયાળા સુધી 07 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો હતો.
ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ છે આજે જેતપુર વિધાનસભા સભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર બોરડી સમઢીયાળા સુધીની આજે આયોજન કરવામાં આવી છે સરદાર પટેલ કોઈ એક સમાજના નહીં પણ સમગ્ર દેશના સરદાર હતા અને તેમણે આપેલું યોગદાન આજે વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે. સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યો છે. સમગ્ર જેતપુર વિધાનસભા વિસ્તાર વતી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું.
આ પદયાત્રા સરદાર ચોકથી થઈને ચાંપરાજપુરથી થઈને બોરડી સમઢીયાળા સુધીની એકતા પદયાત્રાને વધાવવા જેતપુરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તેમજ એકતા રથ પર ઠેર ઠેર પુષ્પ વર્ષા થઈ હતી અને વિવિધ સમાજોના અગ્રણીઓએ પદયાત્રાને હરખે વધાવી હતી.
આ પદયાત્રામાં રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયા, નગરપાલિકા પ્રમુખ શ્રી બિંદીયાબેન મકવાણા,અગ્રણીશ્રીઓ શ્રી લાલજીભાઈ સોલંકી, શ્રી રવિભાઈ માકડીયા, શ્રી મીનાબેન ઉસદળીયા, શ્રી પાર્થિવ પરમાર, શ્રી દિનેશભાઈ ભુવા, શ્રી જયંતીભાઈ રામોલિયા, શ્રી સ્વાતિબેન જોટંગીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રિયંક ગલચર, મામલતદાર શ્રી દિપક ભટ્ટ સહિતના મહાનુભાવો અને વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.







