તાહિર મેમણ : આજરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા કોલેજ ના ડો.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં એન.એસ.એસ. ની વાર્ષિક શિબિર દેવમોગરા ખાતે ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ગોડદા ગૃપ ગ્રામપંચાયત ના ઉપસરપંચ શ્રી ઉદેસીગભાઇ વસાવા, મુખ્ય મેહમાન તરીકે સરકારી વિનયન કોલેજ સાગબારા ના પ્રિન્સિપાલ ડો. ચેતનભાઇ ચૌધરી, મોગરાઇમાઇ આશ્રમશાળા ના પ્રિન્સિપાલ રણજીતભાઈ વસાવા તેમજ સાગબારા કોલેજ ના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર તથા સ્થાનિક આગેવાન ધનસુખભાઈ વસાવા એન. એસ. એસ. ના સ્વયંંસેવક ઓ અને સ્થાનિક ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત એન. એસ. એસ. ના તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. સાથે ડો. ચેતનભાઇ ચૌધરી, એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર જીગીશાબેન , સ્થાનિક આગેવાન ધનસુખભાઇ વસાવાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન કરી સમુહ ભોજન કરીને ઉદઘાટન કાર્યક્રમનો પુર્ણાહુતી કરી હતી.