JUNAGADHMENDARDA

વનવિભાગ ના ત્રાસથી ગીર ના માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે વહીવટી તંત્ર ની માંગી મંજૂરી

વનવિભાગ ના ત્રાસથી ગીર ના માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે વહીવટી તંત્ર ની માંગી મંજૂરી

ગીર ના નેસ ના માલધારીઓ એ વનવિભાગ ની જોહુકમી અને માલધારીઓ ના પડતર પ્રશ્નો નું કોઈજ નિરાકરણ ન આવતા આગામી 1/4/24 ના રોજ સાસણ મુકામે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે વહીવટી તંત્ર ની મંજૂરી માંગી છે.ગીર ના નેસ ના 28 માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે જૂનાગઢ કલેકટર શ્રી,મેંદરડા પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રી ની મંજૂરી માંગી છે.અગાઉ તા.15/3/24 ના રોજ વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓને જૂનાગઢ ખાતે પોતાની માંગણીઓ સંતોષવા અને પડતર પ્રશ્નો ના નિરાકરણ બાબતે આવેદનપત્ર આપેલ હતું પરંતુ આ બાબતે વનવિભાગ દ્વારા કોઈ હકારાત્મક નિરાકરણ ન લવાતા ગીર ના 28 માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મંજૂરી માંગેલ છે.અને જો આ માલધારીઓ ને આમરણાંત ઉપવાસ પર બેસવાની પરમિશન વહીવટી તંત્ર દ્વારા નહિ આપવામાં આવે તો આગામી તારીખ 2/4/24 ના રોજ ગીર ના નેસ ના તમામ માલધારીઓ પોતાના પરિવારજનો સાથે જૂનાગઢ કલેકટર કચેરી ના પટાંગણ માં આમરણાંત ઉપવાસ ઉતરી જવાની ચીમકી આપેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!