જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં ઘાસ ચારો વેચતા ઇસમ પર કાયદેસરની કાર્યવાહી
મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત

મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ પરમારના સુપરવિજન હેઠળ તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ શહેરમાંથી ૨૦(વીસ) ગૌવંશ પકડવામાં આવ્યા અને ૧૮ (અઢાર) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા તેમજ ગિરનાર દરવાજા પાસે જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમ પર જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી ઘાસ ચારો તથા રેકડી જપ્ત કરવામાં આવી હતી.આગામી દિવસોમાં પણ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે.






