JUNAGADHKESHOD

કેશોદ તાલુકાની માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ સેફ્ટી સેમિનારનું આયોજન

જૂનાગઢ તા.૧૨ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ તાલુકાના માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સેમિનારમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફને ડેમો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ સ્કૂલ સેફ્ટી સેમિનાર દરમિયાન કેશોદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી કે.ડી.રાઠોડ એન.ડી.આર.એફ. ટીમના કમાન્ડર શ્રી કૈલાશા બાથમ તેમજ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ ગામના આગેવાનોએ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!