JUNAGADHKESHOD

પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંગે રજીસ્ટ્રેશન તા. ૧૫, નવેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે

પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંગે રજીસ્ટ્રેશન તા. ૧૫, નવેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે

ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમા કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઇન્ટર્નશીપ યોજનાનો આરંભ કરવામા આવેલ છે. જેમા ઇન્ટર્નશીપ માટે જોડાયેલા યુવાનોને ૧૨ માસ માટે માસીક ૫૦૦૦/- રૂ. સ્ટાઇપેન્ડ મળવા પાત્ર છે. ઉમેદવારોની શૈક્ષણીક લાયકાત SSC,HSC,I.T.I.,DIPLOMA,GRADUATE પૂર્ણ કરેલ હોવું જોઈએ. સાથે ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ, પૂર્ણ સમયની રોજગારી અથવા શિક્ષણ ન મેળવતા હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ અને ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની વાર્ષિક આવક ૮ લાખથી વધુ ન હોવી જોઈએ. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની કોઈ સ્કીમમાં સ્કિલ કોર્ષ, એપ્રેન્ટીશીપ, ઈન્ટર્નશીપ કરેલ ન હોવા જોઈએ. આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઉમેદવારો તા.૧૫-૧૧-૨૦૨૪ સુધી અરજી કરી શકશે. જેમા ઓનલાઇન અરજી www.pminternship.mca.gov.in કરી શકશે. તથા વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!