વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે ગૌહત્યા કૃત્યને અંજામ આપતા પાંચ આરોપીઓ ને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ગૌમાંસ તેમજ ગૌહત્યા ના કૃત્ય કરતા ઈસમોને ઝડપી પાડવા અને પરિણામ લક્ષી કાર્યવાહી કરવા ના આપેલા આદેશના પગલે ગાંધીનગર પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ પેટ્રોલીંગ શરૂ કરતાં ખાનગી માં બાતમી મળી હતીકે કલોલ હદ વિસ્તારમાં ઘણા સમય થી બુરહનોદ્દીન કુરેશી નમનો ઇસમ ગૌહત્યા ના ગુનાસર ગૌમાંસ અમદાવાદ મીરજાપુર ખાતે વેચાણ માટે હેરાફેરી કરે છે. જે ચોક્કસ બાતમી મુજબ બુરહનોદ્દીન કુરેશી તેમજ નાસીર મીયા પઠાણ ને પાટણ તેમજ યાશીફ ખાન પઠાણ રહે છત્રાલ વાળાને કડી ના ઇનાયત ખાન પઠાણ ઉર્ફે બોરો સહીત ની અટકાયત કરી પૂછપરછ કરી હતી તેઓએ ગુના કબૂલાત કરતા જણાવેલ કે તેઓ રખડતી ગાયો ને જુદ્દાજુદા વાહનો ઉપયોગ કરી ગાયો નુ વેચાણ માટે રેકી કરી હેરાફેરી કરેલ જેમાં જુદીજુદી જગ્યાએ તેનુ વેચાણ કરતા હતા જેને લાઘણજ ,કડી, અમદાવાદ એલિસબ્રિજ, સહીત પોલીસ મથકે ગુનાઓ નોંધાયા છે જે મુજબ પોલીસે તપાસ હાથ ધરતા બુરહનોદ્દીન કુરેશી,નાસીરમીયા પઠાણ, યાશીફ ખાન કુરેશી, ઇનાયત સૈયદ ઉર્ફે બોરો ,કાયદાના સંઘર્ષ માં ઉતરેલ બાળ કિશોર સહીત ને ઈવલિયા ગાડી, કવાલીસ કાર, સીએનજી રીક્ષા, મોબાઈલો સહિત કુલ રૂપિયા 465000/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી શાહરુખ ઉર્ફે ઘઉં કડી વાળો સલમાન કુરેશી બાપુનગર અમદાવાદ, આસીફ પૂંજી બાપુનગર વાળા સહિત આઠ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.