રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી, ખાડામાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૮/૦૭/૨૦૨૩
નેત્રંગ નગરમાં છેલ્લા કેટલા દિવસોથી મેધરાજા મહેમાન બન્યા છે. ત્યારે મેઘરાજા વરસતા નગરના રસ્તાઓ ધોવાઇ ગયા છે. ઠેરઠેર ૨સ્તાઓ પર ખાડાઓ પડી જતાં તેમાં પાણીના ખાબોચીયા ભરાઈ જતાં ત્યાંથી પસાર થવામાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
નેત્રંગ ટાઉનમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ રસ્તાઓ ધવાઇ જતા ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જેમાં પણ ખાસ કરીને ગ્રામપંચાયત સેવાસદનથી લઇને ગાંધીબજાર અમરાવતી નદી તરફ જવાના રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જાણે રોડ પર નાના તળાવોએ આકાર લીધો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. આ માર્ગ પરથી બાળકો શાળા કોલેજમાં જાય છે. તેમજ અન્ય નગરજનો તેમજ સિનિયર સિટીઝનો ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિર અને તુલસી ફડિયમાં આવેલ રણછોડજીમંદિરે જાય છે. આ માર્ગ પર દર ચોમાસામાં પાણી ભરાઇ રહેતા ખાડા પડી જાય છે. ગ્રામપંચાયત દ્વારા વહેલીતકે આ બિસ્માર માર્ગનું સમારકામ કરવા તેમજ ખાડાનું યોગ્ય પુરાણ કરવા માંગ કરાઈ છે. રોડ પર પડેલા ખાડામાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.