GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ એકતા શપથ લીધા

તા.30/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: તા. ૩૧ ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ એકતા શપથ લીધા હતાં. જેમાં દેશની અખંડિતતા અને દેશવાસીઓની એકતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ તકે સહાયક માહિતી નિયામકો શ્રી સોનલબેન જોશીપુરા, શ્રી રાધિકાબેન વ્યાસ અને શ્રી પ્રિયંકાબેન પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નિલેશભાઈ વાઘેલા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




