GUJARATKESHOD

કેશોદમાં રામનવમી અનુસંધાને કેશોદ બન્યું અયોધ્યા નગરી,રામનવમી ઉત્સવની તૈયારીઓ શરૂ

રામનાં વધામણા માટે લોકોમાં અનેરો ઉત્સાહ

ભગવાન વિષ્ણુના સાતમા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આદર્શ એટલે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામ એમના પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર શુદ નવમી નો દિવસ આગામી 6 એપ્રિલ 2025 ના રોજ આ પવિત્ર દિવસ આવી રહ્યો છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં આ તહેવાર ઉજવવા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે ઠેર ઠેર ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ઉજવણીની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે રાજમાર્ગો શેરીઓ અને ગલીઓમાં શણગાર થઈ રહ્યો છે આ ભવ્ય ઉત્સવ કેશોદમાં પણ ભવ્ય રીતે ઉજવામાં આવે છે આ તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે ત્યારે કેશોદ અને કેશોદ વિસ્તારના ધર્મ પ્રેમીઓ દ્વારા આ ભવ્ય અવસરની તડામાર તૈયારીઓ થઈ રહી છે.. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહીની ભારત વિકાસ પરિષદ આઝાદ કલબ જેવા અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકી સંગઠનો આ કાર્યને સફળ બનાવવા ખંભે ખંભો મિલાવીને ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે આ શોભાયાત્રાના ફલોટ માટે અનેક સમાજો અને સંગઠનો નો તૈયારીઓ કરી રહ્યા છે આ દિવસ કેશોદ માટે એક સવિશેષ ગૌરવ રૂપ કાર્યક્રમ પણ થઈ રહ્યો છે આ દિવસે સવારે 10:00 વાગ્યે ચાર ચોક મુકામે ભગવાન શ્રીરામની એક વિશાળ ભવ્યથી ભવ્ય પ્રતિમા નું અનાવરણ પણ થઈ રહ્યું છે આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બનવું એ પણ એક લહાવો છે આ સમગ્ર કાર્ય માટે સમગ્ર હિન્દુ સમાજ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે મીડિયાના માધ્યમથી કેશોદ તથા કેશોદ વિસ્તારના હિન્દુ ધર્મપ્રેમી લોકોને આ દિવસના તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ વતી સૌને ભાવભરું આમંત્રણ પાઠવેલ છે કેશોદ માં સૌથી મોટી શોભાયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!