GUJARATJUNAGADHKESHOD

કેશોદ જલારામ મંદિરે 327 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ જલારામ મંદિરે 327 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી  327 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં  અત્યાર સુધીમાં  327 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 23279 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પની  શરૂઆત  જલારામ મંદિર નાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડો સ્નેહલ તન્ના  ડો પરિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ મોહન ભાઈ ઘોડાસરા ,સોંદરવા રતનબેન ડો ભમી વણપરિયા ,દક્ષાબેન મહેતા, ડો નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં 200 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 67 દર્દીઓ ને બસ દ્વારા  ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા મહાદેવ આયુર્વેદીક ક્લિનિક નાં સોંદરવા રતન મેમ દ્વારા મશીન થી સંપૂર્ણ બોડી ચેક અપ ની સેવા આપેલ હતી. ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવાવગેરે માટે સેવા આપેલ હોમિયોપેથીક ડો નિકિતા પટેલ દ્વારા 71 દર્દીઓને  તપાસી ફ્રી દવા આપવામાં આવેલ. દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીર સિંહ જાડેજા, રફિકભાઈ મહીડા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, જીજ્ઞેશ સોઢા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દી ની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!