
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા – જનતા માધ્યમિક શાળા, ખેરગામે શૈક્ષણિક ક્ષેત્રમાં સારું પ્રદર્શન નોંધાવ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 46 વિદ્યાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક પાસ થયા છે અને શાળાનું કુલ પરિણામ 65.21% રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં વધુ ઉત્તમ પરિણામ નોંધાઈ રહ્યું છે, જેમાં 105 માંથી 104 વિદ્યાર્થીઓ સફળ થયા છે અને કુલ પરિણામ 99.05% નોંધાયું છે.
વિજ્ઞાન પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓ:
1. પ્રજાપતિ પાર્થ કલ્પેશભાઈ – 88.30%
2. રાજપુરોહિત વર્ષા મોહનસિંહ – 84.46%
3. બારોટ વિધિ નલિનકુમાર – 80.61%
સામાન્ય પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓ:
1. રાઠોડ તરલ હિતેશભાઈ – 83.71%
2. મલ્હોત્રા પ્રદીપકુમાર કલ્યાણસિંહ – 83.57%
3. સાપટા વિનોદભાઈ મનુભાઈ – 83.42%
શાળાના સંચાલક મંડળે સફળતાપૂર્વક પરિણામ પ્રાપ્ત કરવા બદલ તમામ શિક્ષકમિત્રો અને શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને આવનારા સમયમાં વધુ ઊંચા શૈક્ષણિક માપદંડો મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.



