NARMADA

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે વીજળી પડતાં બે ગાયો ના મોત

નર્મદા જીલ્લા ના
દેડિયાપાડા તાલુકાના શિયાલી ગામે વીજળી પડતાં બે ગાયો ના મોત

તલાટી સરપંચે તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરી ખેડૂતોને સહાય આપવાની રજૂઆત કરી

તાહિર મેમણ : નર્મદા જીલ્લા માં ગતરોજ સવારે મુસલધાર વરસાદ ખાબકતા ખેતીના પાક કેળ, સહિત શેરડી તેમજ કેરી ના પાક ને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ગરૂડેશ્વર તાલુકા ના વેલચંડિ ગામે એક ભેંસ ઉપર વીજળી પડી હતી અને તેનું મોત થયું હતું જયારે દેડિયાપાડા તાલુકાના શીયાલી ગામે પણ બે ગાયો ના વીજળી પડતાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગતરોજ સવારે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ત્યારે સવારે અગિયાર વાગે દેડિયાપાડા તાલુકાના સિયાળી ગામે રહેતા વસાવા વિજયભાઈ રાયસિંહ ના ઘરે બાંધેલ બે ગાયો ઉપર પણ વીજળી પડતાં તેમનું પણ મોત નિપજ્યું હતું,આ મામલે સરપંચ સહિત તલાટી એ ખેડુત ના પશુઓ ના મોત નીપજ્યા હોવાની જાણ તાલુકા વિકાસ અધિકારી ને કરી તેઓને સહાય આપવાની રજૂઆત કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!