22-એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- રમઝાન ઇદ ના રોજ સુન્ની મુસ્લિમ જમાત નાગ્રેચા તરફથી આ જમાતના પેશ ઈમામ સાહેબ હાફિઝ મોલાના ઝિશાન રઝાનું,ઈદ – ઉલ-ફિત્ર,નિમિતે સન્માન કરવામાં આવ્યું.તેમજ હાફિઝ મોલાના ઝિશાન રઝા દ્વારા તરાવિહમાં મુકમ્મલ કુરાન શરીફ પઢવામાં આવેલ.તેથી જમાત દ્વારા મોલાના સાહેબને હદીયો,રૂ. ૧,૧૧,૦૦૦/- આપવામાં આવેલ છે. જજાકલ્લાહ.અલ્લાહ પાક જમાતના તમામ મોમીનોને નેક કામ કરવાની અને પાંચ વક્ત નમાઝ પઢવાની તૌફીક અતા કરે તેવું જણાવ્યું હતું.સુન્ની મુસ્લિમ જમાત નાગ્રેચા નાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.