GUJARATKUTCHMANDAVI

અન્ન નાગરિક પુરવઠા વિભાગ ધ્વારા રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી હાથ ધરવામાં જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી,જીલ્લા સેવા સદન,ભુજ ખાતે બેઠક મળી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ સપ્ટેમ્બર : માન. અગ્ર સચિવશ્રી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગાંધીનગરની સુચનાથી અન્ન નાગરિક પુરવઠા વિભાગ ધ્વારા રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે શાળાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે ઈ-કેવાયસી અત્યંત આવશ્યક હોઇ, સરકારશ્રી દ્વારા સ્કોલરશિપ મેળવવા માટે E-KYC ફરજિયાત કરેલ હોય, તાત્કાલિક શાળા-કોલેજના વિધાર્થીઓની ઈ-કેવાયસી ખાસ કરીને પોસ્ટ મેટ્રીક, સ્કોલરશીપ મેળવતાં વિદ્યાર્થીઓની ઇ-કેવાયસીની કામગીરી પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા જણાવતાં તા.૦૩/૦૯/૨૦૨૪ નાં માન. કલેકટરશ્રી, કચ્છ-ભુજના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવેલ. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કચ્છ-ભુજ, રજીસ્ટ્રારશ્રી, કચ્છ યુનિવર્સિટી, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી તથા નાયબ નિયામકશ્રી, એસ.સી. સેલ, ભુજ હાજર રહેલ. અધ્યક્ષસ્થાનેથી વિધાર્થીઓના ઇ-કેવાયસીની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરીને તાત્કાલિક તમામ વિધાર્થીઓના ઇ-કેવાયસી પુર્ણ કરવામાં આવે જેથી તેમને સ્કોલરશીપ મેળવવામાં મુશ્કેલીઓ ઉપસ્થિત ન થાય. જિલ્લામાં કુલ ૪,૪૫,૯૮૭ વિદ્યાર્થીઓ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં એનરોલ્ડ છે. જેની આવનારા ૧૦ દિવસોમાં સંપુર્ણ કામગીરી પુર્ણ કરવા માન.કલેકટર સાહેબ દ્વારા મીટીંગ બોલાવી કામગીરીનું આયોજન કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!