વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
મન કી બાતમાં વડાપ્રધાનશ્રી દ્વારા અમર વીર શહીદોની માનમાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન તા.9 ઓગસ્ટ થી શરૂ કરવામાં આવ્યું છે.શપથ, રંગોળી, ચિત્રકલા, નિબંધ, કિવઝ સ્પર્ધા અને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબાભવાની માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યામંદિર પાણીખડક શાળામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી મનોજકુમાર આર પટેલ સાહેબની આગેવાનીમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.શિક્ષકો અને બાળકોનાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના સૂત્રો અને અમર વિરોની યાદમાં સ્લોગન સાથે ગામના જાહેર રસ્તા પર રેલી દ્વારા રાષ્ટ્રભક્તિ, દેશની એકતા અંગે જાગૃતિ આવે એવો સંદેશ આપવામાં આવ્યોલ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.