KUTCHMUNDRA

અદાણી પરિવાર દ્વારા ‘સર્વજનહિતાય, સર્વજનસુખાય’ હેતુસર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ : 6000થી વધુ લોકોએ લીધો લાભ! 

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અદાણી પરિવાર દ્વારા ‘સર્વજનહિતાય, સર્વજનસુખાય’ હેતુસર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ : 6000થી વધુ લોકોએ લીધો લાભ! 

 

શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રારંભે આકર્ષક અને ભક્તિમય પોથીયાત્રામાં સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા.

શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વિવિધ ગામમાંથી 6000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે 250થી વધુ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો.

શિરાચા, ૧૪ ડિસેમ્બર ૨૦૨૫:

આજરોજ, તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કચ્છના શિરાચા ખાતે આવેલા પ્રાચીન અને પવિત્ર શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પ્રાંગણમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ દ્વારા આયોજિત સાત દિવસના શ્રીમદ્ ભાગવત મહાસપ્તાહનો ભવ્ય પ્રારંભ થયો હતો.

🚩 આકર્ષક પોથી યાત્રા અને મહાનુભાવોની ઉપસ્થિતિ

કાર્યક્રમની શરૂઆત એક અત્યંત આકર્ષક અને ભક્તિમય પોથી યાત્રા થી થઈ, જેમાં આસપાસના ગામોની નાની બાળાઓએ શણગારેલા ગાડા સાથે ભાગ લીધો હતો. આ યાત્રામાં શ્રીમતી અમીબેન રક્ષિતભાઈ શાહે લાભ લીધો હતો.

મુંદ્રા તાલુકાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અને ગ્રામવાસીઓએ બહોળી સંખ્યામાં વરઘોડામાં ઉત્સાહપૂર્વક જોડાઈને યાત્રાને ઐતિહાસિક બનાવી હતી. યાત્રા દરમિયાન ભક્તોએ “જય શ્રી કૃષ્ણ” તથા “જય શ્રી દાનેશ્વર મહાદેવ”ના જયઘોષ ગુંજવ્યા હતા. ત્યારબાદ પવિત્ર ભાગવત પોથીને વિધિવત્ રીતે કથા મંડપમાં સ્થાપિત કરવામાં આવી હતી.

🌟 સંતો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય

આ પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય શ્રી દેવેન્દ્રગિરિજી મહારાજ (શ્રી દાનેશ્વર જાગીર), શ્રી મનોહરગિરિજી મહારાજ, શ્રી વિશ્વંભરગિરિજી મહારાજ (કાંડગરા) તથા ૫૦થી વધુ સાધુ-મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા.

વિશિષ્ટ કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી મહારાજ (મોટા ભાડિયા વાળા)એ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો.

📖 ભાગવત જ્ઞાન અને ભક્તિમય વાતાવરણ

પ્રથમ દિવસે 6000થી વધુ શ્રોતાઓ એ કથાનું શ્રાવણ કર્યું હતું. પૂજ્ય કશ્યપભાઈ જોશી મહારાજે “સર્વજનહિતાય સર્વજનસુખાય”નો ભાવાર્થ રજૂ કરતાં, શ્રી કૃષ્ણ સ્વરૂપ અને શિવ તેમજ ભાગવતના મહિમાનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાગ્યમાં હોય તો જ આ પવિત્ર કથાનું શ્રવણ થઈ શકે. આ ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ભરાઈ ગયું હતું.

કચ્છ – મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે શુભકામનાઓ પાઠવીને વધુમાં વધુ લોકોને કથા અને આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

💖 સેવા અને સન્માન: મેડિકલ કેમ્પ અને લોકડાયરાનું આયોજન

આ સપ્તાહનાં પ્રથમ દિવસે 250થી વધુ ગામલોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગૌસેવા, મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક-મુક્ત વ્યવસ્થા સાથે ભક્તોને અદભૂત અનુભૂતિ થઈ હતી.

આ સપ્તાહ દરમિયાન તા.૧૭ ડિસેમ્બરની સાંજે લોકગાયકશ્રી કિર્તીદાનભાઈ ગઢવી, ભજનીકશ્રી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) અને હાસ્ય કલાકાર પિયૂષભાઈ મારાજના સાન્નિધ્યમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે.

👥 ઉપસ્થિત મહાનુભાવોની યાદી:

અદાણી પોર્ટના એકઝીક્યુટીવ ડાયરેકટરશ્રી રક્ષિતભાઈ શાહ અને સી.ઇ.ઓ શ્રી સુજલભાઈ શાહ સાથે અદાણી ગ્રૂપના વિવિધ વિભાગના વડાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રક્ષિતભાઈ શાહે ઉપસ્થિત મહાનુભવોનું ખેસ તેમજ કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનો પણ વ્યવસ્થામાં સહભાગી થયા હતા.

અન્ય મહાનુભાવો:

 * પૂર્વ નાણાંમંત્રી શ્રી બાબુભાઇ શાહ

 * પૂર્વ પ્રમુખ-કચ્છ જિલ્લા પંચાયત સુ. શ્રી. જાગૃતિબેન શાહ

 * માજી ધારાસભ્યશ્રી-મુંદ્રા અને ગાંધીધામ રમેશભાઈ મહેશ્વરી

 * ઉપપ્રમુખશ્રી – મુંદ્રા તાલુકા પંચાયત સોમાભાઇ રબારી

 * પ્રમુખશ્રી- મુંદ્રા તાલુકા ભાજપ અને સરપંચશ્રી–વિરાણીયા શક્તિસિંહ જાડેજા

 * ભજનાનંદીશ્રી પાલુભાઈ ગઢવી

 * સરપંચશ્રી-શિરાચા શ્રી માધુભા ચૌહાણ

 * સરપંચશ્રી-ટુંડા શ્રી કીર્તિભાઈ રાજગોર

 * સરપંચશ્રી-મોટા કાંડાગરા શ્રીમતી દેવલબેન ડાયાભાઈ ગઢવી

 * સરપંચશ્રી- ભોપાવાંઢ શ્રીમતી સીતાબેન હધુભાઈ રબારી

 * સરપંચશ્રી – મોટી ખાખર શ્રી રતનભાઈ ગઢવી

ક્ષત્રિય સમાજના આગેવાનો (શિરાચા): ગુલાબસિંહ ચૌહાણ, નટુભા ચૌહાણ, પ્રવિણસિંહ ચૌહાણ, જોરુભા ચૌહાણ, કેણજીભા ચૌહાણ, રવુભા જાડેજા.

મહેશ્વરી સમાજના આગેવાનો: દેવજીભાઈ મહેશ્વરી અને હરેશભાઈ વીંઝોડા.

ગ્રામપંચાયત સદસ્ય: હરિભાઇ રવિયા.

નવીનાળના સામાજિક આગેવાનો: ભાવેન્દ્રસિંહ જાડેજા, રાણુંભા જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, કલુભા જાડેજા, નટુભા જાડેજા, ફકીરમામદ સમેજા, અનવરભાઈ વાઘેર.

મોટા કાંડાગરા સામાજિક આગેવાનો: શ્રી ડાયાભાઈ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, સુલતાનસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા.

સામાજીક આગેવાન-મોટીખાખર: કુલદીપસિંહ જાડેજા.

ઝરપરાનાં આગેવાનોશ્રી: વાલજીભાઇ લાખાણી અને ડોસાભાઈ ગઢવી.

અન્ય સામાજિક-રાજકીય આગેવાનો: માજી સરપંચ શામળાભાઈ સેડા, હરિભાઇ મીઠાણી, ખીમરાજભાઈ ગાગીયા, પૂર્વ સભ્ય કાકુભાઈ ગેલવા, આશાભાઈ રબારી (ભોપાવાંઢ), પ્રમુખશ્રી- મુંદ્રા તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભગીરથસિંહ જાડેજા, શ્રી રાજદીપસિંહ જાડેજા (રામાણીયા), બાબુભાઇ આહિર (દેશલપર), શ્રી હકૂમતસિંહ જાડેજા (નાનીખાખર), પૂર્વ સરપંચ-દેશલપર બાબુભાઇ આહિર.

અનુરોધ: તમામ ભાવિકોને વિનંતી છે કે આગામી સાત દિવસોમાં મોટી સંખ્યામાં પધારીને પૂજ્ય કશ્યપ મહારાજની વાણીથી ભાગવત રસપાન કરો અને આ પુણ્યકાર્યનો લાભ લો.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!