BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા બીપોરજોય વાવાઝોડા દરમિયાન સેવાકાર્ય હાથ ધરાયુ

19-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- બિપોરજોય વાવાઝોડાના પગલે અસરગ્રસ્ત લોકોની સહાય માટે વિવિધ સંસ્થાઓ કાયૅરત રહી હતી. જેમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા પણ સેવાકીય કાયૅ કરવામાં આવેલ હતા.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, માધ્યમિક (સરકારી) સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી અજયભાઈ પટાટ અને માધ્યમિક (ગ્રાન્ટેડ) સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારની રાહબરી હેઠળ વાવાઝોડા પૂર્વે જ લોક સહાય માટે આપાતકાલીન ઓનલાઈન બેઠક નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા સર્વાનુમતે નિર્ણય લઈ તાત્કાલિક કચ્છના તમામ દશ તાલુકાઓ માં બે કાયૅકતાઁ સંચાલિત હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ હતી, જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડી શકાય. ગોધરા,શિરવા,દુર્ગાપુર,નાના લાયજા તથા મોટા લાયજા એમ કુલ પાંચ ગામમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-માંડવી દ્વારા શેલ્ટર હોમના વ્યક્તિઓ ને 1000 ફૂડપેકેટ નું વિતરણ કરવામાં આવેલ હતુ. માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને અન્ય ભગીની સંસ્થાઓ સાથે રહી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ સેવાકાર્ય કરવામાં આવેલ હતા. વળી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મુખ્યત્વે શિક્ષકો નુ સંગઠન હોવાથી સમગ્ર કચ્છના શેલ્ટર હોમમાં અસરગ્રસ્તો માટે કર્તવ્ય અને સેવાના ભાવથી સતત ખડેપગે રહેનાર આશરે 3 હજાર શિક્ષકોના સેવાકાર્ય ને પણ હાર્દિક બિરદાવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!