
હાલમાં સરકારી ખરીદીમાં તુવેરની ઓનલાઈન નોંધણી શરૂ કરેલ છે જેમાં જે તે ખાતેદાર ખેડૂતો છે તેમને હાજર રહીને અંગુઠાના ફિંગર પ્રિન્ટ આપવાના છે માટે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને ખેડૂતો વતી મગનભાઈ અધેરાની રજુવાત છે કે તુવેરની ઓનલાઇન નોંધણીમાં ખેડૂતોને હાજર રાખવા રાખવાનો નિયમ ખૂબ જ મુશ્કેલી ઊભી કરે છે હાલમાં વેપાર, નોકરી અર્થે પણ ઘણા ખેડૂતો વતનથી ઘણા દૂર રહેતા હોય જેથી તેઓને નોંધણીમાં હાજર રહેવામાં તકલીફ પડે છે અને હાજર રહી શકશે નહીં તેવા સંજોગો ઊભા થશે માટે મગનભાઈ અધેરા દ્વારા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને તમામ રાજ્યના ખેડૂતોઓ હતી વિનંતી સાથે અરજ છે કે ખેડૂતોને હાજર રહેવા નિયમમાં વહેલામાં વહેલી તકે ફેરફાર કરવામાં આવે અને ખેડૂતોને હાજરી વિના ઓનલાઈન નોંધણી તુવેરની કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




