GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મોરબીમાં ગીતા મહોત્સવ નું આયોજન

MORBI:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મોરબીમાં ગીતા મહોત્સવ નું આયોજન

 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સાર્થક વિદ્યામંદિર ના સહયોગ થીભારતીય સાંસ્કૃતિક પરમ્પરા ના સંરક્ષણ અને સંવર્ધન થાય એ હેતુ થી અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે 1 ડિસેમ્બર 2025 ના રોજ શ્રીમદ્ભગવદ્ગીતા જયંતી નિમિત્તે ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમ અંતર્ગત ગીતા કંઠપાઠ યોજના તેમજ શતસુભાષિત કંઠપાઠ યોજનાના તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તમેજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે, સાથે સંસ્કૃત ગરબા, દશાવતાર વગેરે સંસ્કૃત યુક્ત કૃતિ પણ થશે તેમજ ગીતાજીના 12માં અધ્યાય નું પઠન કરવામાં આવશે.સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સાર્થક વિદ્યામંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!