કમલ વિદ્યામંદિર ભૂતેડી માધ્યમિક શાળા ના ધો10 અને12 ના વિધાર્થીઓના દિક્ષાંત સમારોહ સહ ક્લાર્કશ્રીનો ભાવદર્શન સમારોહ યોજાયો

20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે જાગૃતિ મહિલા અને બાલવિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કમલ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉ. માધ્યમિક ગ્રાન્ટેડ શાળા ના ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ નો દીક્ષાત સમારોહ યોજાયો હતો અને આજ શાળા માં ક્લાર્ક તરીકે ની ફરજ બજાવતા સુરેશભાઈ રામજી ભાઈ સમોચા વય નિવૃત્તિ થયા હૉઇ એમનો વિદાય સમારંભ યોજાયો હતો આજે વિધાર્થીઓ અને શાળા પરિવાર ના ક્લાર્કનો વિદાય સમારંભ હોઈ વિશાર્થીઓ ભાવુક થયા હતા વિદાય સમારંભ મા 2024 માં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામા પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર લાવનાર વિધાર્થીઓ ને મોમેન્ટ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવ્યા હતા શાળા ના આચાર્ય દ્વારા વિધાર્થીઓ ને પરીક્ષા લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આમંત્રિત મહેમાનો ને શાળા અને ટ્રસ્ટીઓ દ્વારા પુસ્તક અને સાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વિદાય પ્રસંગે શાળામાં ભૂતપૂર્વ આચાર્યો શિક્ષકો વાલીઓ સહિત ગ્રામ જનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.




