ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ કોંગ્રેસ બેઠકમાં જનહિતના પ્રશ્નો મુદ્દે ઉગ્ર રજૂઆતનો નિર્ણય – સિંચાઈ,નલ સે જલ,ચારમાર્ગીય રસ્તા સહિતની સુવિધાની માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ કોંગ્રેસ બેઠકમાં જનહિતના પ્રશ્નો મુદ્દે ઉગ્ર રજૂઆતનો નિર્ણય – સિંચાઈ,નલ સે જલ,ચારમાર્ગીય રસ્તા સહિતની સુવિધાની માંગ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિની આજે યોજાયેલી બેઠકમાં તાલુકાના વિવિધ પડતર અને જનહિતના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરી સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

બેઠકમાં નલ સે જલ યોજનાની નિષ્ફળતા અને તાલુકામાં ઊભી થયેલી પાણીની તીવ્ર અછત, ખેડૂતો માટે કડાણા હાઈબેક કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ, મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદો, મોડાસા-મેઘરજ રોડને ચારમાર્ગીય બનાવવાની જરૂરિયાત તેમજ આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ખાલી જગ્યાઓ અને સુવિધાઓના અભાવ જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે વિકાસના દાવાઓ વચ્ચે મેઘરજ તાલુકાની જનતા આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે. આ તમામ પ્રશ્નો અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.સાથે સાથે ચેતવણી આપવામાં આવી કે જો પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ જનતાને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન, રસ્તા રોકો અને ધરણાં કાર્યક્રમો હાથ ધરશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.આ બેઠકમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલ, વિધાનસભા પ્રભારી મુકેશભાઈ પરમાર મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશભાઈ અસારી , બલવંતસિંહ રાઠોડ, સુમિત્રાબેન ડામોર સહિત ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!