MEHSANAVIJAPUR

વિજાપુર ખરોડ ગામે રોડ ઉપર વરસાદ ના પાણી થી ખુલીને બહાર આવેલ 15 ફૂટના ખાડામાં પડેલી ગાયને રેસ્કયુ કરી બચાવી લેવાઈ

વિજાપુર ખરોડ ગામે રોડ ઉપર વરસાદ ના પાણી થી ખુલીને બહાર આવેલ 15 ફૂટના ખાડામાં પડેલી ગાયને રેસ્કયુ કરી બચાવી લેવાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખરોડ ગામે રોડ ઉપર વરસાદ ના પાણી થી ધોવાઈ ને ખુલી ગયેલ 15 ફૂટ ઊંડા ખાડા મા ગાય પડી જતાં ગોપાલકો તેમજ ગ્રામજનોએ જેસીબી બોલાવી ગાય નો રેસક્યું કરીને બચાવી લેવામાં આવી હતી. જોકે ગ્રામજનો એ રોડ ઉપર મસમોટા ખાડા ને લઇ ગ્રામપંચાયત ના તલાટી નો સંપર્ક કર્યો હતો. અને ખાડા ને પૂરી દેવા માટે રજૂઆત કરી હતી. જોકે આ ખાડો કોણે કર્યો છે તેની તપાસ કરી કાર્યવાહી કરવાની પણ તંત્ર સમક્ષ માંગણી કરી હતી. આ અંગે સ્થાનિક જાગૃત ગોપાલક સમાજ ના અગ્રણી એ જણાવ્યું હતુંકે જ્યારે 150ફૂટ ના ઊંડા ખાડામાં ગાય પડવા ના સમાચાર મળતાં તેની જાણ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ને અને તંત્ર ને કરવા મા આવી હતી. જોકે ગ્રામજનો ના સેવાભાવી લોકો તંત્ર આવે તે પહેલાં ગાયને બચાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ ખાડો કોને કર્યો છે કોના મારફતે આટલો ઊંડી ખાડો કરવામાં આવ્યો છે તેની સામે તંત્ર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી ગ્રામજનો ની માંગણી છે. આ ખાડા ગાય પડી ગઈ તો કાલે કોઈ નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ પડી જાય તો કેવા હાલ થાય તે બાબત વિચારીને પણ તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી જાગૃત નાગરિકો ની માંગણી લાગણી છે.

Back to top button
error: Content is protected !!