MEHSANAVIJAPUR

વિજાપુર ગોવિંદપુરા ચોકડી નજીક અજાણ્યા વાહને સાયકલ ને ટક્કર મારતા સાયકલ સવાર નુ મોત

વિજાપુર ગોવિંદપુરા ચોકડી નજીક અજાણ્યા વાહને સાયકલ ને ટક્કર મારતા સાયકલ સવાર નુ મોત
યુવક ઉપર વાહન નુ ટાયર ફરી વળ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા ચોકડી હિમતનગર હાઇવે ઉપર રવિવાર ની રાત્રીના દશ વાગ્યા ની આસપાસ રાધિકા હોટલ મા મજૂરી કરતા યુવક વિનુજી ઠાકોર વિસનગર વાળા હોટલ ઉપર થી સાયકલ લઇ કોઈ કામસર રાત્રીના નીકળ્યા હતા. સાયકલ ઉપર તેઓ ગોવિંદપુરા ચોકડીએ પોહચતાં કોઈ અજાણ્યા વાહને રાત્રીના અંધારા મા ટક્કર મારી મોત નિપજાવી નાસી છૂટતા પોલીસ મથકે મૃતક ના મોટા ભાઈ ઈશ્વરજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે. ગત રવિવારે રાત્રી ના રાધિકા હોટલ ઉપર વિનુંજી ઠાકોર વિસનગર વાળા છેલ્લા ત્રણ ચાર વર્ષ થી નોકરી કરતા હતા. રાત્રીના નવ વાગે તેઓ હોટલ ઉપર કોઈને કહ્યા વગર સાયકલ લઇ કોઈ કામસર નીકળ્યા હતા રાત્રીના દશ વાગે ખબર પડતાં અકસ્માત ની જગ્યા એ લોકો દોડી આવ્યા હતા. જ્યાં અકસ્માત ગંભીર હોવાથી પોલીસ ને જાણ કરતા પોલીસ પણ રાત્રીના આવી પોહચી હતી મૃતક ના અંગો છુંદાઈ ગયા હોવાથી તેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવા મા આવ્યો હતો હોટલ ના માલિકે મૃતક ના મોટા ભાઈ ઇશ્વરજી ઠાકોરને ટેલિફોન કરી જાણ કરતા પરીવાર સિવિલ હોસ્પિટલ ખાતે આવી પોહચ્યો હતો. જ્યાં પોલીસે નિવેદનો લઈ પંચનામુ કરી અજાણ્યા વાહન ચાલક સામે મૃતક ના મોટા ભાઈ ઇશ્વરજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે. પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!