
વિજાપુરમાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, શહેરમાં ભક્તિમય માહોલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રામ નવમીના પાવન અવસર પર વિજાપુર શહેરમાં શ્રી રામ નવમી સેવા સમિતિ-વિજાપુર તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રેરક તત્વ હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના આકર્ષક રથ સાથે નીકળેલી આ યાત્રાએ શહેરમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
ગુરુવારે સવારે ગાયત્રી મંદિર, માર્કેટયાર્ડ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. 

શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચક્કરથી ખત્રી કુવા સુધી સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થતા આયોજકો અને નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.






