MEHSANAVIJAPUR

વિજાપુર પાલીકા ટાઉન હોલ ખાતે ખેડૂતો ના જમીન ને લગતા પડતર પ્રશ્નો અરજીઓના નિકાલ જમીન રીસર્વે અંતર્ગત બેઠક યોજાઇ

વિજાપુર પાલીકા ટાઉન હોલ ખાતે ખેડૂતો ના જમીન ને લગતા પડતર પ્રશ્નો અરજીઓના નિકાલ જમીન રીસર્વે અંતર્ગત બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ના ખેડુતોના જમીન અંગેના રિ-સર્વે બાબતના કોઈ પ્રશ્નો અરજીઓ કરેલ અરજીઓનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ના હોય તેવા તમામ ખેડૂતો અરજીઓના નિકાલ માટે ટાઉન હોલ ખાતે ડી.આઇ.એલ.આર ની ટીમ તેમજ ધારાસભ્ય સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી આવેલ કુલ ૧૩ હજાર અરજીઓ માંથી ૮ હજાર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.જ્યારે ૫ હજાર જેટલી ખેડૂતો ની અરજીઓ પેંડીગ છે. જેના નિકાલ માટે ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં નાયબ મામલતદાર હરીશ પંડિત તેમજ ડી. આઇ.એલ.આર.ની ટીમ દ્વારા ખેડૂતો ને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતુ આ અંગે ધારાસભ્ય સીજે ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ જમીન રી સર્વે ના પ્રશ્નો નો અને જમીન સંપાદન બાબત મા મામલતદાર મહેસૂલ વિભાગ મા આવેલ અરજીઓ નો નિકાલ માટે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નિકાલ નહિ આવેલ ૫ હજાર જેટલી અરજીઓ ના નિકાલ માટે ઇન્ચાર્જ મામલતદાર અનિલ ભાઈ પટેલ સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે અલગ ટેબલ રાખીને ડી આઇ એલ આર ની ટીમ સાથે રહી ખેડૂતો ના પ્રશ્નો પડતર અરજીઓ ના નિકાલ માટે ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતુકે કે હાલમાં કચેરી કક્ષાએ ૧૩ હજાર અરજીઓ આવી હતી. જેમાં ૮ હજાર જેટલી ખેડૂતોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે બાકી રહી ગયેલ અરજી અને જમીન સંપાદન માટે આવેલ અરજીઓ નો પણ સત્વરે નિકાલ લાવવા મા આવશે કાર્યક્રમ મા ખેડૂતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી ધારાસભ્ય સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!