
મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસો એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.સી સાવલિયા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મહેસાણા જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૭/૧૦/૨૦૨૪ ના ૨૪:૦૦ કલાક સુધી સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસો એકત્રિત થવા તથા કોઈ સભા ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ સી સાવલિયા દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે.આ જાહેરનામુ સરકારી નોકરીમાં ફરજ ઉપર હાજર હોય તેવી વ્યક્તિઓને, કોઈ લગ્નના વરઘોડાને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135 (3) હેઠળ તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ શિક્ષા ને પાત્ર થશે.આ જાહેરનામા અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135 (3) હેઠળ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.




