
વિજાપુર હ્યુમન રાઇટ ના સભ્યો દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર કડક પ્રતિબંધ માટે મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરાયણ પર્વ દરમ્યાન ચાઈનીઝ દોરીના વધતા ઉપયોગથી અબોલ પક્ષીઓ તેમજ રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને થતી ગંભીર ઇજાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવા સંદર્ભે હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા મામલતદાર કચેરી ખાતે સંસ્થા ના પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહી ને મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરી આ મુદ્દે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.. સંસ્થા ના નેશનલ પ્રેસિડેન્ટ તેજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડાની આગેવાનીમાં સંસ્થાની ટીમ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ લાદવા માંગ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિમંડળમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડા, તાલુકા પ્રમુખ બળદેવસિંહ બારડ, શહેર પ્રમુખ મહેન્દ્ર શર્મા, અમિતભાઈ ઓઝા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક પક્ષીઓ મોતને ભેટે છે 
મામલતદાર અતુલ સિંહ ભાટીને આવેદનપત્ર પાઠવી સંસ્થાએ પ્રશાસન તરફથી યોગ્ય કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરી હતી.



