MEHSANAVIJAPUR

વિજાપુર ચેક રીટર્ન ના કેસ મા આરોપીનો નિર્દોષ છુટકારો અડી સિવિલ જજ અને જયુડિશીયલ મેજીસ્ટ્રેટ એસ એસ અજમેરી નો ચુકાદો

વિજાપુર ચેક રીટર્ન ના કેસ મા આરોપીનો નિર્દોષ છુટકારો
અડી સિવિલ જજ અને જયુડિશીયલ મેજીસ્ટ્રેટ એસ એસ અજમેરી નો ચુકાદો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માલોસણ ગામના પટેલ કાન્તિ ભાઈ મોતી દાસે ભેંસો વેચેલ જેના રૂ 73,700/- આવેલા જે પૈસા તેમના ભત્રીજા ના કહેવાથી તેઓ એ વિસનગર ના બારોટ ભરત ભાઈ લક્ષ્મણ ભાઈ ને અંગત કામ હોવાથી બે માસ માટે આપેલા જેના અવેજ મા ભરતભાઈ બારોટે ચેક આપેલો જે ચેક બેંક મા ભરતા ઈન ઓપરેટ ના શેરા સાથે પરત ફર્યો હતો. જે અંગે ભરત ભાઇ ને વકીલ મારફત નોટીસ આપેલ જે નોટીસ રીફ્યુજ શેરા સાથે પાછી ફરેલ જેને લઇ ભરત ભાઇ બારોટ સામે ફરીયાદ નોંધાઈ હતી.જે અંતર્ગત નો કેસ એડી સીવીલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ એસ અજમેરી ની અદાલત મા ચાલી જતાં બંને પક્ષોના વકીલો ની દલીલો પુરાવા ઓ ધ્યાન મા લઈ સુનાવણી કરતા આરોપી ભરત ભાઈ બારોટ ને ચેક રીટર્ન ના કેસ મા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા નો હુકમ કર્યો હતો. આરોપી તરફે કેસી બ્રહ્મભટ્ટે હાજર રહી ધારદાર દલીલો કરી હતી.

Back to top button
error: Content is protected !!