MEHSANAVIJAPUR

વિજાપુર સુલતાન શાહ બાવા ની દરગાહ ખાતે ઉર્ષ ની ઉજવણી સાદગી પૂર્ણ કરાઈ

વિજાપુર સુલતાન શાહ બાવા ની દરગાહ ખાતે ઉર્ષ ની ઉજવણી સાદગી પૂર્ણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માં આવેલ નવસો વર્ષ જુની તકીયા વાળી ગાદી તરીકે જાણીતી હજરત સુલતાન શાહ બાવા ની દરગાહ નું ઉર્ષ જમાદીલ અવ્વલ ના ચાંદ મદાર 29 30પ ના રોજ સુલતાન શાહ બાવા દરગાહ ના ગાદીપતિ અમીન અલી શાહ મલંગ ના ઝેરે પરસ્તી માં સાદગીપૂર્ણ રીતે ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંજે સાત વાગે સંદલ શરીફ તેમજ ન્યાજ શરીફ પ્રસાદી નુ વિતરણ કરવામાં આવ્યું હતુ. દરગાહ ના ગાદીપતિ અમીન અલી શાહ મલંગે જણાવ્યું હતું કે મકન શરીફ ખાતે આવેલ જીંદા શાહ મદાર ર. અ ના ઉર્ષ ની ઉજવણી બાદ તરત હજરત સુલતાન શાહ બાવા નો ઉર્ષ નુ પ્રસંગ આવે છે. જેમાં ઇસ્લામિક ચાંદ મુજબ ઉર્ષ ની ઉજવણી કરવા મા આવે છે. આ પ્રસંગ મા હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી ને ઉજવે છે. આ વખતે ઘણી સાદગી સાથે ઉર્શની ઉજવણી કરવા મા આવી છે. નાના બાળકો ને પ્રસાદી આપવા મા આવી હતી. જેમાં લોકો મોટી સંખ્યમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!