MEHSANAVIJAPUR

વિજાપુર ખત્રીકૂવા થી ચક્કર લારી ગલ્લા ના દબાણો દૂર કરવા ની સાથે આનંદપુરા ચોકડી પાસે દરગાહ ની દીવાલ ને જેસીબી વડે પાડી નાખતા વિવાદ

વિજાપુર ખત્રીકૂવા થી ચક્કર લારી ગલ્લા ના દબાણો દૂર કરવા ની સાથે આનંદપુરા ચોકડી પાસે દરગાહ ની દીવાલ ને જેસીબી વડે પાડી નાખતા વિવાદ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલીકા દ્વારા બે દિવસ પૂર્વે ખત્રીકૂવા થી આનંદપુરા ચોકડી ઉપર રોડ રસ્તા ઉપર ટ્રાફીક ને નડતર રૂપ ગલ્લા છજા શેડ તોડવા ની નોટિસ આપ્યા બાદ પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર ની ઉપસ્થિતિ મા પોલીસ બંદોબસ્ત સાથે 100 થી વધુ લારી ગલ્લા હટાવવા ની સાથો સાથ આનંદપુરા ચોકડી ઉપર આવેલ શહેર નો પાયો નાખનાર હાશિમ શહીદ કોટવાળ ની દરગાહ પાસે હઝરત મકતુમશાહ જલાલી બાવા ની દરગાહ ની બાજુની દિવાલ ઉપર પાલીકા એ જેસીબી મશીન દ્વારા દિવાલ તોડી પાડતાં પ્રશાસન દ્વારા કારણ વગર નો વિવાદ ઊભો કરતા મુસ્લિમ સમાજ નો દિલ દુભાતા આનંદપુરા ચોકડી ઉપર મુસ્લિમ યુવકો પોહચ્યા હતા જોકે તે પહેલાં પાલીકા દ્વારા દિવાલ તોડી પડાઇ હતી. હાલ મા દરગાહ ના વિવાદ ને સમાજ દ્વારા કોઈ કાર્યક્રમ રચાય તો નવાઈ નથી

Back to top button
error: Content is protected !!