
કમોસમી વરસાદથી નુકસાન વિજાપુર પંથકમાં ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા પાકનું નિરીક્ષણ અને સર્વેની સૂચના
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ખેડૂતોની આ સ્થિતિને ધ્યાનમાં લઈને વિજાપુરના સ્થાનિક ધારાસભ્ય સી.જે. ચાવડાએ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેતરોમાં જઈને પાકને થયેલા નુકસાનનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતો સાથે વાતચીત કરીને તેમણે તેમની વ્યથા સાંભળી હતી. ધારાસભ્ય સીજે ચાવડા એ આ નુકસાન મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સર્વેક્ષણ કરનાર અધિકારીઓ અને ગ્રામ સેવકોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.




