
વિજાપુર થી દ્વારકા નવીન બસ સેવા શરૂ કરાઈ યાત્રાળુઓમાં આનંદ, ડેપો એરપોર્ટ જેવી સુવિધાથી સજ્જ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા યાત્રાળુઓની લાંબા સમયથી ચાલતી માંગણીને માન આપી વિજાપુર થી દ્વારકા સુધીની નવીન સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ દરરોજ સાંજે 6:45 કલાકે વિજાપુરથી દ્વારકા માટે પ્રસ્થાન કરશે, જ્યારે દ્વારકાથી વિજાપુર આવતી બસ પણ સાંજે 6:45 કલાકે ઉપડશે.
આ નવી સેવા શરૂ થતા દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે જતા યાત્રાળુઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ સીધી બસ સુવિધા ન હોવાથી મુસાફરોને વચ્ચે ટ્રાન્સફર કરવું પડતું હતું, પરંતુ હવે સીધી બસ ઉપલબ્ધ થતાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.
સ્થાનિક નાગરિકો અને યાત્રાળુઓએ આ પહેલનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, દ્વારકા દર્શન માટે હવે વધુ સરળ અને આરામદાયક મુસાફરી શક્ય બનાવાઈ હતી.




