MEHSANAVIJAPUR

વિજાપુર ખણુસા હાઇવે રોડ ઉપર વિજાપુર સુરત બસ ની હડફેટે આવેલ આશ સેકન્ડરી સ્કૂલ ની વિદ્યાર્થિની નુ સારવાર દરમ્યાન મોત

વિજાપુર ખણુસા હાઇવે રોડ ઉપર વિજાપુર સુરત બસ ની હડફેટે આવેલ આશ સેકન્ડરી સ્કૂલ ની વિદ્યાર્થિની નુ સારવાર દરમ્યાન મોત
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખણુસા હાઇવે ઉપર આઠ દિવસ પૂર્વે વિજાપુર થી સુરત જતી બસની હડફેટે આવેલ આશ સેકન્ડરી સ્કૂલ મા ધોરણ 11 કોમર્સ મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિકિતા ગોસ્વામી નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોત ના સમાચાર થી પરીવાર જનો અને ગ્રામજનો મા ભારે શોક ની લાગણી જન્મી છે. ગત બુધવારે શાળા માંથી છૂટી ને સાયકલ ઉપર ઘેર જતી નિકિતા ગોસ્વામી ને ખણુસા ગામ માં જવાના વળાંક મા સુરત જતી બસે હડફેટે લીધી હતી. તેને સારવાર માટે સરકારી જનરલ હોસ્પીટલ ખાતે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ શાળાના શિક્ષક ટ્રસ્ટી તેમજ પરીવાર જનો વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાઇ હતી જ્યાં અઠવાડિયા સુધી ચાલેલી સારવાર દરમ્યાન નિકિતા ગોસ્વામી નુ નિધન થયું હતું.અકસ્માત ના બનાવ ને લઈ ઘણા દાતાઓ એ સારવાર માટે સહાય શરૂ કરવા મા આવી હતી. મોત ના સમાચાર ને પગલે શાળા ના બાળકો મા પણ ભારે ગમગીની ફેલાઇ હતી.

Back to top button
error: Content is protected !!