MORBI:મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મુત્યુ પામેલ લોકોને સહાય કરવા અને આંતકવાદી સામે કડક કાર્યાવાહી કરવા આવેદનપત્ર
MORBI:મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મુત્યુ પામેલ લોકોને સહાય કરવા અને આંતકવાદી સામે કડક કાર્યાવાહી કરવા આવેદનપત્ર
આજ રોજ આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલની આગેવાની હેઠળ મોરબી જીલ્લા ટીમ દ્રારા કલેક્ટર સાહેબ મારફતે પ્રધાનમંત્રી ને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
જે આવેદનપત્રમાં આમ આદમી મોરબી જીલ્લા દ્રારા પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તથા બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.
મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક રીતે લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી જોઈએ.
ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ.
પહેલગામમાં થયેલા આંતંકી હુમલામાં ભારતના જવાબદાર લોકોને આંતકવાદી જાહેર કરે અને કડક કાર્યાવાહી થાય જેથી ભવિષ્યમાં અન્ય કોઈ લોકો આવા આંતકી પ્રવ્રુતિ ના કરે.ભારત સરકાર દ્વારા આવા આંતકવાદ ચલાવતા દેશની સામે કડક પગલાં લે એવી માંગ કરવામાં આવી છે.