અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મંત્રીના પુત્ર એ ગામલોકો ને હલકી માનસિકતા સાથે સરખાવ્યા : રાજકીય દ્વેષ ભાવના કારણે પાયા વિહોણા આક્ષેપનું નિવેદન
મોડાસાના જીતપુર ગામે વિકાસ ના કામ ના થયા હોવાના આક્ષેપ નો મામલો ગરમાયો અને અહેવાલ ને ધ્યાનમાં લઇ તંત્ર દોડતું થયું હતું ગ્રામજનો એ ગટરલાઇન,રસ્તા,ની સુવિધા ના હોવાના કર્યા હતા આક્ષેપ સમગ્ર બાબતે ગામના પૂર્વ સરપંચનું નિવેદન સામે આવતા જણાવ્યું હતું કે સૌથી વધુ કામ જીતપુરમાં થયા હોવાનું નિવેદન સામે આવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે રાજકીય દ્વેષ ભાવ ના કારણે પાયા વિહોણા આક્ષેપ કર્યા હોવાનું કહ્યું હતું વધુમાં ગામના જે લોકો કહી રહ્યા છે એ હલકી માનસિકતા ધરાવતા લોકો છે અને કોંગ્રેસ ના લોકો છે જે ભાજપના વિકાસના કોમો જોયા જવાતા નથી એમ જણાવ્યું હતું
જીતપુર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ ઉચ્ચારેલી ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ તંત્ર હરકતમાં,TDOની ટીમ ગામમાં પહોંચી હતી મોડાસા તાલુકાનું જીતપુર ગામ રોડ,ગટરલાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા,ગ્રામજનોએ સરપંચ અને ધારાસભ્યના કારણે ગામ વિકાસથી વંચિત રહ્યું આવ્યા હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચારી હતી.જેનો અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.આજે મોડાસા તાલુકા વિકાસ અધિકારીની ટીમ જીતપુર ગામે પહોંચી ગ્રામજનો સાથે બેઠક યોજી ચૂંટણી બહિષ્કારની ચીમકી સામે ગ્રામજનોની માંગ સંતોષવા માટે સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે પરંતુ ગ્રામજનો લેખિતમાં બાંહેધરી ની માંગ કરી રહ્યા હોવાનું ગામના જાગૃત નાગરિકે જણાવ્યું હતું.