ARAVALLIGUJARATMODASA

મોડાસા : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ૩૧- મોડાસા વિધાનસભા વિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મોડાસા : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ૩૧- મોડાસા વિધાનસભા વિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ

જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને યોજાયેલી પદયાત્રાનું ઠેરઠેર થયું સ્વાગત

મોડાસા તાલુકાના ઝાલોદરથી મોડાસા ટાઉનહોલ સુધી યોજાયેલ અંદાજિત ૧૦ કિમીની પદયાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત યુવાઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા એકતા અને અખંડિતતાના શિલ્પીના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ૩૧ મોડાસા વિધાનસભા વિસ્તારની પદયાત્રાને મહાનુભાવોએ સરદાર પટેલનું પ્રતિમાને સુરતની આંટી પહેરાવી અંગે પુષ્પ અર્પણ કરી પદયાત્રાનું ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

મોડાસા વિધાનસભા વિસ્તારની પદયાત્રા મોડાસા તાલુકાના ઝાલોદરથી શરૂ થયેલી પદયાત્રામાં વંદે માતરમ તથા ભારત માતા કી જયના જયઘોષ સાથે સાકરીયા અને આનંદપુર કંપા થઈને મોડાસા ટાઉનહોલ પહોંચી જ્યાં ઠેરઠેર ગ્રામજનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સરદાર પટેલના જીવનકવન અને સ્વદેશીને પ્રોત્સાહિત કરતું નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આજની પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, વિધાર્થીઓ તથા ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!