MORBI:મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી રઘુવંશી અગ્રણી સ્વ. રસિકલાલ અનડકટને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

MORBI:મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી રઘુવંશી અગ્રણી સ્વ. રસિકલાલ અનડકટને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી રઘુવંશી સમાજ ના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવીર સેના-મોરબી ના અગ્રણીઓ
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના સંસ્થાપક, લોહાણા સમાજ ના સાવજ એવા સ્વ.રસિકલાલ અનડકટ ની પૂણ્યતિથી નિમિતે તેમના આત્મા ના શાંતિ અર્થે મોરબી રઘુવીર સેના ના અગ્રણીઓ દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી ના પ્રમુખ હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ સ્વ.રસિકલાલ અનડકટ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓની શરૂઆત સ્વ. રસિકલાલ અનડકટ ના નેતૃત્વ માં શરૂ કરવામાં આવી હતી તેમજ મોરબી જલારામ ધામ ખાતે સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવન નું લોકાર્પણ તેમના સુપુત્ર કેયુરભાઈ અનડકટ સહીતનાં તેમના પરિજનો ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ હતુ.







